pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ભેટો

3.9
7496

મેં એમની ચાલ ઉપરથી જ ઓળખી લીધેલા. આ સંજયભૈ જ હોય, બીજું કોઈ નહીં. મહેબૂબના હાથને એકદમ હલબલાવતાં જ કહ્યું, ‘જાવ તો પેલા દાઢીવાળા ભાઈ કોણ છે દેખો તો ?’ મહેબૂબે એની આદત પ્રમાણે વિરોધ કર્યો, ‘ટારે સું ? ...

હમણાં વાંચો
લેખક વિશે

હર્ષદ ત્રિવેદી (કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંપાદક.) વિશેષ માહિતી : પૂરું નામ : હર્ષદકુમાર અમૃતલાલ ત્રિવેદી. જન્મતારીખ : ૧૭-૦૭-૧૯૫૮ સરનામું: ‘સુરતા’, એ/૧૧, નેમિશ્વરપાર્ક, તપોવન સર્કલ, સરદાર પટેલ રીંગ રોડ, અમિયાપુર-૩૮૨૪૨૪, જિ. ગાંધીનગર. ફોન: (મો.) ૯૭૨૩૫૫૫૯૯૪, ૮૮૪૯૯૬૫૬૦૦ વતન : ખેરાળી, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર શૈક્ષણિક લાયકાત : (૧) બી.એ. (ગુજરાતી- હિન્દી) ૧૯૬૯ (૨) એમ.એ. (ગુજરાતી-હિન્દી) ૧૯૮૨ કાર્યક્ષેત્ર : (૧) ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલા “ગુજરાતી સાહિત્યકોશ”ના સંપાદન વિભાગમાં સંદર્ભસહાયક તરીકે (જાન્યુઆરી ૧૯૮૧થી જૂન ૧૯૮૪) (૨) ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થતા સામયિક “શબ્દસૃષ્ટિ”ના સંપાદન વિભાગમાં પ્રૂફવાચક તરીકે (જૂન ૧૯૮૪ થી ડિસેમ્બર ૧૯૯૪) (૩) ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થતા સામયિક “શબ્દસૃષ્ટિ”ના સંપાદક તરીકે (જાન્યુઆરી ૧૯૯૫ થી ઓક્ટોબર ૨૦૧૪) (૪) ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ખાતે મહામાત્ર તરીકે (તા. ૫-૧૨-૨૦૦૯ થી તા. ૨૭-૭-૨૦૧૪) (૫) તા. ૩૧-૧૦-૨૦૧૪ થી સ્વૈચ્છિક નિવૃત્તિ. અન્ય વિગતો : (૧) છેલ્લાં ૪૦ વર્ષથી કવિતા, વાર્તા, વિવેચન, સંપાદન વગેરે ક્ષેત્રે સાહિત્યસર્જન. (૨) આકાશવાણી- દૂરદર્શનમાન્ય કવિ. અનેક કાર્યક્રમોમાં કાવ્યપઠન અને વાર્તાઓનું પઠન-પ્રસારણ. રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ. (૩) ગુજરાત અને ગુજરાત બહાર અનેક સામાજિક, શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓમાં કાવ્યપઠન, વક્તવ્યો ઉપરાંત ગોષ્ઠિઓનું સફળ સંચાલન. (૪) રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કવિસંમેલનોનું સંચાલન. (૫) અભિનય: શ્રી યશવંત પંડ્યાકૃત નાટક “ઝાંઝવાં” માં મુખ્ય પાત્રની ભજવણી, દિગ્દર્શક : ડૉ. સતીશ વ્યાસ. (પાટણ, અમદાવાદ, દિલ્હી, સુરત ખાતે) (૬) ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન. માનદ્ કામગીરી: (૧) ૧૯૮૮ થી ૨૦૦૬ ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થસમિતિમાં ચૂંટાયેલા સભ્ય. (૨) ૧૯૯૪ થી ૨૦૦૬ ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહકસમિતિમાં ચૂયાયેલા સભ્ય. (૩) ૨૦૦૨ થી ૨૦૦૬ ગુજરાતી સાહિત્ય પરિષદના ચૂટાયેલા પ્રકાશનમંત્રી. (૪) ૨૦૦૫ થી ૨૦૧૪ વલી ગુજરાતી ગઝલકેન્દ્રની કાર્યવાહકસમિતિના સભ્ય. (૫) ૨૦૦૮ થી ૨૦૧૪ “ગઝલવિશ્વ” સામયિકના પરામર્શક. (૬) ૨૦૦૮ થી ૨૦૧૩ સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીની ગુજરાતી ભાષાની સલાહકારસમિતિના સભ્ય. (૭) ૨૦૧૨થી ૨૦૧૪ નેશનલ બૂક ટ્રસ્ટ, દિલ્હીની સલાહકાર સમિતિના સભ્ય. (૮) કેન્દ્રિય હિન્દી નિદેશાલય, દિલ્હીના હિન્દી-ગુજરાતી શબ્દકોશમાં પરામર્શન (૧૯૧૨-૧૩) પ્રકાશિત પુસ્તકો : કાવ્યસંગ્રહો : (૧) એક ખાલી નાવ (૧૯૮૪,૧૯૯૧,૨૦૦૦) (૨) રહી છે વાત અધૂરી (૨૦૦૨) (૩) તારો અવાજ (૨૦૦૩) (૪) તરવેણી (૨૦૧૩) (૫) તમે ખરા ! (૨૦૧૭) (૬) ઝાકળમાં ઘર (સમગ્ર કવિતા) (૨૦૧૭) વાર્તાસંગ્રહ : (૧) જાળિયું (૧૯૯૪, ૨૦૦૬, ૨૦૧૬) (૨) મુકામ (૨૦૨૦) નવલકથા : (૧) સોનાની દ્વારિકા (૨૦૧૭) બાળવાર્તા : (૧)પાણીકલર (૧૯૯૦, ૧૯૯૨, ૨૦૧૭) રેખાચિત્ર (૧) સરોવરના સગડ (૨૦૧૮) લલિતનિબંધ (૧) માંડવીની પોળના મોર (૨૦૨૦) વિવેચન –આસ્વાદ : (૧) શબ્દાનુભવ (૨૦૦૭) (૨) કંકુચોખા (લોકગીત-આસ્વાદ) (૨૦૧૭) સંપાદન : (૧) ગુજરાતી કવિતાચયન: ૧૯૯૧ (૧૯૯૨) (૨) સ્મરણરેખ (દિવંગત સાહિત્યકારો સાથેનાં સંસ્મરણો) (૧૯૯૭) (૩) ગઝલશતક (સાંપ્રત ગુજરાતી ગઝલો) (૧૯૯૯) (૪) ગૂર્જર અદ્યતન નિબંધસંચય (ડૉ. ભોળાભાઈ પટેલ સાથે) (૧૯૯૯) (૫) ૧૯૯૮ની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૯) (૬) તપસીલ (સાહિત્યકારો સાથે પ્રશ્નોત્તરી) (૧૯૯૯) (૭) લાલિત્ય (ગુજરાતી નિબંધો) (૨૦૦૦) (૮) ૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ (૨૦૦૧) (૯) વેદના એ તો વેદ (કવિશ્રી ઉશનસ્ નાં ગીતો) (૨૦૦૧) (૧૦) દલિતસાહિત્ય (૨૦૦૩) (૧૧) અલંકૃતા (સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી પુસ્તકો વિષયક લેખો) (૨૦૦૫) (૧૨) કાવ્યાસ્વાદ (ગુજરાતી કવિતાઓના આસ્વાદ) (૨૦૦૬) (૧૩) નવલકથા અને હું (નવલકથાકારોની કેફિયત) (૨૦૦૭) (૧૪) રાજેન્દ્ર શાહનાં સોનેટ (૨૦૦૭) (૧૫) અસ્મિતાપર્વ : વાકધારા ગ્રંથ ૧ થી ૧૦ (મોરારિબાપુ પ્રેરિત)(૨૦૦૮) (૧૬) ટૂંકીવાર્તા અને હું (વાર્તાકારોની કેફિયત) (૨૦૦૯) (૧૭) પાંચ દાયકાનું પરિદર્શન (અભ્યાસલેખો) (૨૦૧૦) (૧૮) Silver Glimpses from shabdasrushti Selections from modern Gujaraati prose (2013) (૧૯) અસ્મિતાપર્વ : વાકધારા ગ્રંથ ૧૧ થી ૧૫ (મોરારિબાપુ પ્રેરિત) (૨૦૧૪) (૨૦) નાટક અને હું (નાટ્યકર્મીઓની કેફિયત) (૨૦૧૪) (૨૧) કવિતા અને હું (કવિઓઓની કેફિયત) (૨૦૧૪) (૨૨) નિબંધ અને હું (નિબંધકારોની કેફિયત) (૨૦૧૪) (૨૩) અસ્મિતાપર્વ : વાકધારા ગ્રંથ ૧૬ થી ૨૦ (મોરારિબાપુ પ્રેરિત)(૨૦૧૮) (૨૪) રાજેન્દ્ર શાહની સમગ્ર કાવ્યસૃષ્ટિ ગ્રંથ ૧ થી ૩ (૨૦૧૮) સામયિક સંપાદન : (૧) સંક્રમણ (કવિતાનું અનિયતકાલીન) (૧૯૮૮ થી ૧૯૮૯) (૨) ઉદગાર (આર. આર. શેઠની કંપનીનું મુખપત્ર) (૩) શબ્દસૃષ્ટિ (ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર) (૧૯૯૫ થી ૨૦૧૪) અખબારી કોલમલેખન : (૧) ‘ગાંધીનગર સમાચાર’ (૧૯૮૫ થી ૧૯૯૦) (૨) ‘દિવ્યભાસ્કર’ (વિવિધ તબક્કે) દસ્તાવેજીકરણ : ગુજરાતી ભાષાના ૧૦૮ સાહિત્યકારો વિશેની દસ્તાવેજી લઘુફિલ્મોની પરિકલ્પના અને નિર્માણ ગુજરાત સાહિત્ય અકાદમીનાં ઉપક્રમે. અનુવાદિત કૃતિઓ: (૧) જાળિયું વાર્તા હિન્દીમાં (સમકાલીન ભારતીય સાહિત્ય ૧૯૯૫) (૨) પરુ વાર્તા અંગ્રેજીમાં (ઇન્ડિયન લિટરેચર ૧૯૯૬) (૩) પરુ વાર્તા અંગ્રેજીમાં (કન્ટેમ્પરરી શોર્ટ સ્ટોરીઝ, સંપાદક : કિશોર જાદવ) (૧૯૯૯-૨૦૦૦) (૪) આ ઉપરાંત અનેક કાવ્યો અંગ્રેજી,મરાઠી, બંગાળી, સિંધી,કન્નડ જેવી ભારતીય ભાષાઓમાં અનૂદિત થયાં છે. પારિતોષિક સન્માન : (૧) કવિશ્રી જયન્ત પાઠક પુરસ્કાર “એક ખાલી નાવ” કાવ્યસંગ્રહ માટે (૧૯૯૨) (૨) કવીશ્વર દલપતરામ એવોર્ડ ૨૦૧૩ (૩) કુમાર ચંદ્રક (૨૦૧૬)

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Prafullchandra Lathigara
    21 अप्रैल 2020
    અપૂર્ણતા મા જે પૂર્ણતા હોય એ પૂર્ણતા મા નથી હોતી....સુંદર રજુઆત...દરેક રચના નવા જ વિશ્ર્વમાં ભાવકને વિહાર કરાવી જાય છે...
  • author
    Mansi Patel
    22 जुलाई 2017
    half love story Plese puri karjo must 6
  • author
    Nb Patel Nb Patel
    28 अप्रैल 2017
    ખૂબ સુંદર રચના કરવામાં આવી છે
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Prafullchandra Lathigara
    21 अप्रैल 2020
    અપૂર્ણતા મા જે પૂર્ણતા હોય એ પૂર્ણતા મા નથી હોતી....સુંદર રજુઆત...દરેક રચના નવા જ વિશ્ર્વમાં ભાવકને વિહાર કરાવી જાય છે...
  • author
    Mansi Patel
    22 जुलाई 2017
    half love story Plese puri karjo must 6
  • author
    Nb Patel Nb Patel
    28 अप्रैल 2017
    ખૂબ સુંદર રચના કરવામાં આવી છે