pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

‘અભ્યાસ’ – કઈ રીતે લખવું ? વિડીયો ટ્યુટોરિયલ સિરીઝ

16 ജൂണ്‍ 2017

એક વાંચન સાથે સીધી રીતે ન સંકળાયેલી શિક્ષિત વ્યક્તિ સરેરાશ રોજની ૩૩ મિનીટ વાંચવામાં પસાર કરે છે. એમાં બિલબોર્ડથી લઈને છાપાની હેડલાઈન્સ, વોટ્સઅપ મેસેજીસ, ટીવી એડવર્ટાઈઝમેનટ્સ, સુપરસ્ટોરમાં લાગેલ સેલના બેનર્સ આ બધાનો સમાવેશ થાય છે. આ ચોવીસ કલાક આંખોની સામે ભજવાતા દ્રશ્યોને મગજ વાંચતું રહે છે અને એમાંથી કેટલાકને ક્યારેક આ બધું શબ્દોમાં ઊતારવાનું મન થઈ આવે છે અને માણસોની આ ઉટપટાંગ દુનિયામાં એક નવો લેખક જન્મ લે છે. કોઈ નજીવું કહીને કવિતા રચે છે તો કોઈ પાત્રો રચીને વાર્તા સર્જે છે તો કોઈ સીધેસીધા વિચારોને રજૂ કરે છે. પણ આ દરેક રજૂઆત એક સબળ માધ્યમ બની રહે છે અને પેઢી દર પેઢી જ્ઞાનનું સર્વોત્તમ વહન થતું રહે છે. તો આવો આજે અવનવી વિવિધતા સભર રજૂઆતોને એક માળખામાં નિહાળીએ; એ માળખાને મજબૂત બનાવીએ અને તજજ્ઞો અને નિષ્ણાતો પાસેથી શીખીને વિચારો અને વાતોનું મુક્ત વહન ઉત્તમ રીતે કરીએ. કારણ કે જે લખી શકે છે તે સ્વતંત્ર છે.

પ્રતિલિપિ ‘અભ્યાસ’ના માધ્યમ દ્વારા આપ સમક્ષ લાવી રહ્યું છે લેખનકલાનું વિવિધતાસભર વિશ્વ. અનુભવીઓના નીચોડ અને તારણોનો સમન્વય આ વિડીયો ટ્યુટોરિયલમાં રજૂ થયેલ છે. જુદાજુદા સાહિત્ય પ્રકારોમાં સમાયેલ કલાકૌશાલ્યને આવો સમજીએ નિષ્ણાતો પાસેથી.. 

ગદ્ય 


ટૂંકીવાર્તા -


વાર્તા કઈ રીતે લખવી એ કોઈને શીખવી ન શકાય એ તો પ્રેરણાને મનસ પટલ પર આકાર આપવાની એક કળા છે. પણ લખતી વખતે જો અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વાર્તાની રજૂઆત સબળ બને છે અને વધુ વાચકોના દિલ સુધી પહોંચે છે. જો એક નવોદિત સર્જેક તરીકે તમે એકાદ વખત પણ વાર્તા લખવાનો પ્રયત્ન કર્યો હશે તો આ વિડીયો ટ્યુટોરીયલમાં રજૂ કરેલ બાબતોને તમે વધુ સારી રીતે સમજી શકશો. ખાસ કરીને ટૂંકી વાર્તામાં જ્યાં વાર્તાની લંબાઈને ધ્યાનમાં રાખીને ઘટના, સંવાદ, દર્શન અને પાત્રો નિરુપાતા હોય છે. તો આવો સમજીએ ટૂંકી વાર્તાના આ મુખ્ય ઘટકોને અનુભવીઓ પાસેથી -

1) ટૂંકી વાર્તામાં વાર્તાની લંબાઈને અનુરૂપ કથાવસ્તુનું આલેખન -

 

2)  ટૂંકીવાર્તામાં વસ્તુસંકલના અને દાર્શનિક કલા વિશે માર્ગદર્શન -


3) ટૂંકીવાર્તામાં કથનરીતિ અને પ્રાદેશિક બોલીના વપરાશ અંગે સમજણ -


4) ટૂંકીવાર્તામાં વિષયવસ્તુનું પ્રયોજન અને પાત્ર નિરૂપણ વિશે માર્ગદર્શન -


5) વાર્તાની મધ્યમાં બદલાતા દ્રશ્યો સાથે પાત્ર સ્થાનાંતર અને ભાષાની જાળવણી અંગે માર્ગદર્શન -

 

6)  અનુઆધુનિક યુગમાં બનેલી વાર્તાઓ અને તેનો સમય સાથે વિકાસ -

 

7)  લખતા પહેલા તમારા વાચક વર્ગને ઓળખો અને જાણો -
 

 

નવલકથા  -

જયારે બહુ પાત્રીય એક કરતા વધુ ઘટનાઓનું દ્રશ્ય નિરૂપણ કરીએ ત્યારે વાર્તાની લંબાઈ વધે છે અને એક સંકલનનું રૂપ લે છે. જેમાં ઘટના, દ્રશ્યો, પાત્રો, સંવાદ અલગ રીતે ઉઠાવ લે છે. જેમાં પાત્રનું ઘડતર, દ્રશ્યોનો વિકાસ અને પ્રાસંગિક નાટ્યાત્મકતા વાચકને જકડી રાખે છે. આ ઉપરાંત એકથી વધારે ભાગમાં રચાયેલી વાર્તાઓમાં ઘટના સ્થળનું વર્ણન, પાત્ર પરિચય અને વિકાસ તથા વાતાવરણનું વર્ણન અભ્યાસ માંગી લે છે અને તે માટે સ્થળ, પાત્રો, દ્રશ્ય અને વાતાવરણ જેનાથી પ્રેરિત હોય તે બાબતો અંગે સંશોધન કરવું એટલું જ જરૂરી છે. તો આવો સમજીએ નવલકથા લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો નિષ્ણાતો પાસેથી -

1) નવલકથા લખવી શરુ કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો -


2) નવલકથામાં પાત્રોનું ઘડતર અને પ્રાસંગિક નાટ્યાત્મકતા વિશે -


3) નવી સદીના નવોદિત સર્જકોને નવલકથા લખવા વિશે સાદી સમજણ -

 

નવલિકા -

'નવલ' શબ્દ ઇટાલિયન શબ્દ Novella એટલે વાતવૃત્તાંત પરથી ઉદ્ભવેલ છે. નવલિકા એટલે લંબાઈમાં ટૂંકીવાર્તા કરતા લાંબી અને નવલકથા કરતા નાની. તેમ છતાં ટૂંકી વાર્તા અને નવલિકા વચ્ચેનો સ્પષ્ટ ભેદ ગુજરાતી સાહિત્યમાં ક્યાંય ઉપલબ્ધ નથી. ચાલો સમજીએ આ નાની નવલકથાઓને નિષ્ણાત મણિલાલ પટેલ પાસેથી -

1) નવલિકા લખતી વખતે કથાપ્રયુક્તિ , દ્રશ્ય નિરૂપણ અને સમયાનુક્રમની સમજ 


2) નવલિકામાં પાત્રોની સંખ્યા, ફ્લેશબેક ટેકનીક અને વિવાદાસ્પદ અંત વિશે સમજ 

 

માઈક્રોફિક્શન -


માઈક્રો-Micro એ અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય છે સ્થાનિક,સંક્ષિપ્ત, બારીક યા સુક્ષ્મ. વાર્તા બે રીતે લખાય છે. એક સત્ય ઘટના કે એના પર આધારિત વાર્તા અને બીજી માત્ર લેખકની કલ્પનામાંથી જ જન્મેલી વાર્તા જે ખરેખર બની ના હોય પણ એમ લાગે કે આવું ક્યાંક બન્યું હશે. આજના ઝડપી જમાનામાં લોકોને બહુ લાંબી વાર્તાઓ વાંચવામાં બહુ રસ પડતો નથી. આ વિચારમાંથી માઈક્રોફિક્શન વાર્તા પ્રકારનો જન્મ થયો હોય એમ લાગે છે. માઇક્રોફિકશન વાર્તા પ્રકારનો ઉપયોગ ખાસ કરીને સમાજમાં જાગૃતિ લાવનાર સંદેશાઓને લોકો સમક્ષ લાવવા માટે થાય છે.માઈક્રોફિકશન વાર્તાની લંબાઈ એક ચોક્કસ શબ્દ મર્યાદામાં બંધાયેલ નથી. પણ જેમ નામ સૂચવે છે તેમ અતિસંક્ષિપ્ત સ્વરૂપે પ્રસ્તુત થવી જોઈએ. સામન્ય વાર્તાની જેમ જ માઈક્રોફીક્ષનમાં પણ શરૂઆત, મધ્ય અને અંત હોવો જરૂરી છે. સામાન્ય રીતે આ પ્રકારમાં વાર્તાનો અંત ચોંકવનારો હોય છે અથવા હાસ્યાસ્પદ બનીને આકર્ષણ જમાવે છે. આવો સમજીએ માઈક્રોફિકશન વાર્તા પ્રકારને નિષ્ણાત ડૉ. હાર્દિક યાજ્ઞિક પાસેથી -


1) માઇક્રોફિકશન વાર્તાની લંબાઈ, કથનપદ્ધતિઓ અને સાર વિશે 


2) અતિટૂંકી કથનપદ્ધતિઓમાં સંવેદના અને રસની સંકલના વિશે ઉદાહરણ સહીત માર્ગદર્શન 

 

અનુવાદ -

વિશ્વસંસ્કૃતિના વિકાસમાં અનુવાદનું યોગદાન અત્યંત મહત્વનું રહ્યું છે. ધર્મ અને દર્શન, વિજ્ઞાન અને ટેકનોલોજી, વેપાર અને વાણિજ્ય, રાજકારણ, સાહિત્ય, શિક્ષણ જેવા સંસ્કૃતિ અને સમાજના વિવિધ અંગો સાથે અનુવાદ સંકળાયેલ છે.  જર્મન કવિ ગેટેને વિશ્વસાહિત્યની પરિકલ્પના વિકસિત કરવાની પ્રેરણા શાંકુંતલના અનુવાદમાંથી જ મળી હતી. ટાગોરનું વ્યક્તિત્વ અને તેની ગીતાંજલીએ આધુનિક ભારતીય સાહિત્યની આગવી ઓળખ વૈશ્વિક સ્તરે ઉભી કરી. યુનેસ્કો દ્વારા કરાયેલ અનુવાદ પ્રેમચંદની ‘ગોદાન’ વિભુતિભુષણની ‘પાથેરપાંચાલી’ વગેરે ગ્રંથોએ પણ ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે મુકી આપી છે. ભલે અનુવાદ સીમાઓ તોડીને શબ્દ-સેતુ બાંધવાનું સહેલું કરતુ હોય પણ અનુવાદ કરવો અને અર્થ, મર્મ અને ભાવની અક્ષરશઃ પ્રસ્તુતિ લાવવી એ મહેનત, અનુભવ અને ખૂબ વાંચન માંગી લે તેવું કાર્ય છે. અનુવાદકનું જે - તે ભાષા પરનું પ્રભુત્વ પણ એટલું જ જરૂરી છે. કારણકે એક આખો વર્ગ આજ ભાષાંતરને સમજીને મૂળ લેખક કે રચનાના ઘટના મૂલ્યોથી પરિચિત થશે. આ સંજોગોમાં અનુવાદકની ખૂબ મોટી ફરજ બને છે. આવો સમજીએ અનુવાદ વિશે થોડું વધુ નિષ્ણાતો પાસેથી -

1) અનુવાદ વિશે સાચી સમજ અને આ અંગે કોપીરાઈટ મેળવવા અંગે માર્ગદર્શન 

 

હાસ્યવ્યંગ -

ગાંધીજીએ કહૃાું હતું કે ‘જો મારામાં સેન્સ ઑફ હૃાુમર એટલે કે સારી રમૂજવૃત્તિ ન હોત તો મેં ક્યારનીય આત્મહત્યા કરી લીધી હોત.' અને આ વાત અત્યારે પણ એટલી જ સાચી છે. જીવનમાંથી જો હાસ્ય અને રમૂજ નીકળી જાય તો ખોરાકમાંથી સ્વાદ નીકળી ગયા જેવું થાય. આ સાહિત્ય પ્રકારની વાત કરીએ તો હાસ્ય અને વ્યંગ બંને તદ્દન જુદા છે. અને બંનેમાં યોજાતી ભિન્ન ભિન્ન પ્રયુક્તિઓ પણ અન્ય પેટા-પ્રકારોમાં સમાવેશ પામે છે. આવો સમજીએ હાસ્યના પ્રકારો અને હાસ્યરસ પ્રયોજતા સાહિત્યના પેટા પ્રકારો -

1) મર્મ, વ્યંગ, કટાક્ષ અને હાસ્ય પ્રયુક્તિઓ વિશે મૂળ સમજ 

 


2) શરૂઆતી હાસ્ય લેખકોએ હાસ્યના પ્રકારો અજમાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો 

 

પત્રકારત્વ અને કટાર લેખન -

ઘણા લાંબા સમય સુધી વિદ્વાનોમાં આ વિચારણાઓ ચાલી કે પત્રકારત્વ એ સાહિત્યનો પ્રકાર કહેવાય કે નહિ અને 'સાહિત્યિક પત્રકારત્વ' એવું નવું નામ પણ બહાર આવ્યું. પણ દેખીતી રીતે જોવા જઈએ તો પત્રકારત્વ એ સહુથી વધુ ગંભીર સાહિત્ય પ્રકાર છે જે સતતનું વાંચન, રાત-દિવસનો અભ્યાસ અને પુષ્કળ મહેનત માંગી લે છે. પત્રકારત્વમાં મનઘડત વસ્તુઓ ને અવકાશ નથી કારણકે લેખકના વિચાર કેટલાય લોકોના મગજમાં પહેલા બીજ નાખે છે. પત્રકારત્વ એટલે એક પ્રકારનું શિક્ષણ થયું. બદલાતા સમય અને પરિસ્થિતિની સાથે આજના યુગમાં તટસ્થ થઈને વિચારોને પ્રદાન કરવા એ કાંટાળા રસ્તે ચાલવા જેવું કામ છે અને તેથી જ તટસ્થ પત્રકારત્વને પ્રાધન્ય અપાય છે. આવો જાણીએ કટાર લેખન કરવા માટે જરૂરી શિસ્ત, વાંચન અને બહોળો અભિગમ નિષ્ણાતો પાસેથી 

1) કટાર લેખન વિશેષ 

 

2) તટસ્થ પત્રકારત્વ એટલે એક જનૂન અને જંગ 

 

પુસ્તકોને બોલતા કરો સોશિયલ મીડિયા પર જાણો ઓનલાઇન માર્કેટિંગ વિશે -

સોશિયલ મીડિયા અને માર્કેટિંગનું નામ આવે ત્યાં જ કેટલાક લેખકોનું મન મરી જાય છે અને આ નવી રીતો તેઓને બિનજરૂરી દેખાડા જેવી લાગતી હોય છે. પણ જયારે આખું વિશ્વ્ આગળ વધી રહ્યું હોય ત્યારે કદમ મિલાવીને આગળ વધવામાં જ ડહાપણ છે. એમાંય એકવીસમી સદીને ટેક્નોલોજી યુગ કહી છે; દિવસે જેટલું નવું જાણવા નથી મળતું એટલું તો એક રાતમાં ઉભું થઇ જાય છે. પૃથ્વીના એક છેડાને બીજા છેડા સાથે આંખોના પલકારાએ જોડતી નવીન રીતો અને પદ્ધતિઓ અપનાવવામાં કોઈ જ ખરાબી નથી. પણ કઈ રીતે આ માધ્યમોનો ઉપયોગ કરવો અને લોકો સુધી પહોંચવું એ શીખવાની બાબત બની રહે છે. આવો જાણીએ સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ એક લેખક તરીકે ઓળખ ઉભી કરવામાં અને આપના અમૂલ્ય સર્જનને લાખો લોકોના દિલ સુધી પહોંચાડવામાં -

1) લેખક અને એના સર્જનને ઉપયોગી ઓનલાઇન માર્કેટિંગમાં સોશિયલ મીડિયાનો ફાળો  -

( ક્રમશ: )