મારો ટુંકો પરિચય.
હું ગાંધીધામ કચ્છ માં ઑટોમોબાઇલ એન્જીનીયર તરીકે નોકરી કરતો, હવે નુવ્રુત છું . ઈશ્વર કૃપાથી ભજનો અને ગરબા ની રચના કરી શકું છું અને ગાવાની પણ થોડી કળા ભગવાને મને આપી છે, ગાંધીધામ માં અમારું નાનું એવું ભજન મંડળ છે. અહિં એક "અવસર" નામે કવિ સંમેલન પણ ચાલતું હતું, તેનો હું સભ્ય રહીચુક્યો છું.
"દીન વાણી" નામે મારી એક ભજનાવલી પણ મેં બનાવેલી છે જેમાં કવિ શ્રી "દાદ" કે જે ગુજરાત ના પ્રખર રચનાકાર અને સરકાર દ્વારા સન્માનિત "કાળજા કેરો કટકો મારો" અને "કૈલાસ કે નિવાસી" જેવી રચનાઓ કરીછે, તેઓ મારા સ્નેહી અને ગુરુ સમાન છે, તેમણે પ્રસ્તાવના લખી છે.
નારાયણ સ્વામીજી સાથે સારો પરીચય હતો, મારી રચનાઓ નો અભ્યાસ કરી ને મને પ્રોસ્તાહિત કરતા, બાપુએ "રોમ રોમ હર બોલે" સીડી/કેસેટ માં મારું ભજન "શિવ શંકર સુખ કારી" ગાયું જેમાં મેં શિવજીનાં ૧૬ નામોની ગૂંથણી કરીને "બહુનામી શિવ" શીર્ષક આપેલું, તે ગાયું પણ ખરું, ત્યાર બાદતો સંગીતા બેન લાબડીયા, કીર્તિદાન ગઢવી અને રામદાસ ગોંડલીયા જેવા ઘણા ભજન ગાયકોએ આ ઓરચના ગાઈ છે, રાજકોટ રેડીયો પરથી પણ મારા અનેક ભજનો પ્રસારિત થાય છે. આ છે મારી નાની એવી ઓળખ.
જય માતાજી.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
[email protected]
મોબાઈલ: ૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫