મારૂ પૂરું નામ રમેશચંદ્ર આત્મારામ રાઠોડ છે. મારો જન્મ 20 ઓક્ટોબર 1952ના રોજ અમદાવાદમાં થયો હતો.. M.Sc.(chemestry) ગુજરાત યુનિવર્સિટીમાંથી કરેલ છે. હું “National Institute of Occupational Health”, (under ICMR ,Central Govt.) ,Ahmedabad. નામની રિસર્ચ સંસ્થામાંથી લગભગ 36 વર્ષ ‘scientist’ તરીકે ફરજ બજાવીને ઓક્ટોબર 2012 માં નિવૃત થયો. હાલમાં મારૂ રહેઠાણ ઘાટલોડીયા,અમદાવાદ માં છે.બચપણથી જ ગુજરાતી વાર્તાઓ અને લેખો વાંચવાનો શોખ હતો. બાદમાં સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ મળતા તેમાં થોડો અવરોધ આવ્યો,પરંતુ સમર વેકેશનમાં હું જાણીતા લેખકો અને સાહિત્યકારોની વાર્તાઓ અને લેખો અચૂક વાંચતો. ઘણુબધું લખતો હતો. પરંતુ પ્રકાશીત કરાવી શકાયું નહીં. કોઈ કોઈ વાર કોલેજના મેગેજીનમાં એક-બે લેખ પ્રકાશીત થયેલાં. નિવૃત થયા બાદ આ ગમતા કાર્યની શરૂઆત કરું તે પહેલા જ મારા ધર્મપત્નિને અંડાશયનું કેન્સર ડિટેક્ટ થયું. મને કારમો આઘાત લાગ્યો.તેમને આ રોગમાંથી ઉગારવા અમે તન, મન અને ધનથી અથાગ પ્રયત્નો કર્યા,પરંતુ છ એક વર્ષ આ રોગની સામે જજુમ્યા બાદ તેઓ જુલાઇ ,2018 ના એન્ડમાં મને છોડીને સ્વર્ગે સીધાવી ગયા. મારા દુખનો પાર ન રહ્યો.મારી દીકરી-જમાઈ ,પુત્ર-પુત્રવધૂ અને સગા સંબંધીઓએ મને સાથ સહકાર અને સધિયારો આપ્યો પરંતુ આ ઉંમરે જ્યારે જીવનસાથીની ખરેખર જરૂરિયાત હોય ત્યારે એકલા પડી જવાથી મારા જીવનમાં શૂન્યાવકાશ છવાઇ ગયો. આ એકલતાની પરિસ્થિતીમાથી હવે હું થોડો બહાર આવ્યો છુ.આધ્યાત્મિક અને સાહિત્યના સહારે શેષ જીવન ગુજારવાના દ્રઢ સંકલ્પ સાથે આ કાર્યમાં જોડાઉ છુ. આપ સૌ મારા આ કાર્યમાં મારી ક્ષતિઓને અવગણીને સાથ સહકાર આપશો તેવી અભ્યર્થના. આભાર .