મારુ નામ દેવાંગગીરી ઓમકાર ગીરી..હું સૌરાષ્ટ્રની હરિયાળી સેજ એવી ગિર ભૂમિ માં આવેલ ઇશ્વરીયા (ગીર) ગામનો વતની છું.જ્યાં આગળ મારા દાદા અમૃતગર બાપુ ભીમનાથ મહાદેવ ની સેવા પૂજાકરી નિરંતર "બ્રહ્માનંદસ્વામી"ના ભજન ગાય અલખ જગાવેલ.જે અલખના પડઘા મારી ભીતરમાં દબાયેલા હતા.આ દબાયેલા પડઘાને મારી ભીતરેથી બહાર કાઢ્યા મારા પરમ મિત્ર ચારણ એવાં "કુલદીપ ગઢવીએ" જેનો હું સહૃદયે આભાર માનું છું.સાધુને ખોળે જન્મ લીધો હોવાથી સ્વભાવિક છે કે મને ભજન સંગીત વ્હાલું હોય. મારા દાદા ના વારસા ને આગળ વધારવા આજે હું કવિતા,ભજન,નાની વાર્તાઓ વગેરે "દેવલા" ના નામથી લખું છું."દેવલા" શબ્દનો જન્મ મારા પરમ પૂજ્ય પિતાજીના મુખેથી થયેલ અને એની યાદી રૂપે આ શબ્દ અપનાવેલ.હાલ કામ અર્થે રાજકોટ સ્થાયી થયો છું.
દેવાંગ ગીરી ના
" ૐ નમો નારાયણ "
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય