pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ગરીબોના બેલી , મહાત્મા ગાંધી ......

4.4
1297

ગરીબોના બેલી મહાત્મા ગાંધી .... વિનોદ પટેલ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ નો દિવસ એટલે એક મહાન આત્મા -મહાત્માએ દેશ માટે આપેલ શહીદીનો દિવસ. આ એ ગોઝારા શુક્રવારનો દિવસ હતો જે દિવસે લોકોના લાડીલા નેતા રાષ્ટ્ર ...

હમણાં વાંચો
લેખક વિશે
author
વિનોદ પટેલ

આખું નામ ...વિનોદભાઈ રેવાભાઈ પટેલ જન્મ – જાન્યુઆરી ૧૫,૧૯૩૭ ( જન્મ સ્થળ , રંગુન - બ્રહ્મદેશ ) મૂળ વતન – ડાંગરવા , તાલુકો -કડી ,જીલ્લો -મહેસાણા,ઉત્તર ગુજરાત હાલ નિવાસ – સાન ડિયાગો ,કેલીફોર્નિયા ,યુ.એસ.એ. પરિવાર : ધર્મપત્ની – કુસુમ સ્ટ્રોક/પેરાલીસીસની માંદગીમાં અપ્રિલ ૧૯૯૨માં ૫૪ વર્ષની ઉમરે અમદાવાદમાં સ્વર્ગવાસી થયાં; એનો રંજ કેમ કરીને ભૂલાય? હાલ ત્રણેય સંતાનો અમેરિકામાં સારી રીતે સેટ થઇ સપરિવાર સુખી છે એનો આનંદ છે. બે પુત્ર -સાન ડીયાગોમાં એક પુત્રી,લોસ એન્જેલસમાં દરેક સંતાનને ત્યાં બે બાળકો છે એટલે કુલ છ પૌત્ર-પૌત્રીઓના દાદા બનવાનો સવિશેષ આનંદ છે. અભ્યાસ ૧૯૫૫ – કડીની જાણીતી સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કુલમાં માધ્યમિક શિક્ષણ પુરું કર્યું.હાઈસ્કુલ ના પરિસરમાં આવેલ વિદ્યાર્થી આશ્રમમાં ૩૫૦ છાત્રો સાથે રહી આ સંસ્થાના આદર્શ ધ્યેયનિષ્ઠ ગુરુઓએ ભાવી જીવનનો પાયો નાખ્યો. ૧૯૫૯ – અમદાવાદની એચ.એલ. કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમ. થયો ૧૯૬૨ – એમ. કોમ.(જોબ સાથે ) ૧૯૬૩ -એલ.એલ.બી.ની અને કંપની સેક્રેટરી(ઈંટર)ની પરીક્ષાઓ પસાર કરી.(જોબ સાથે) વ્યવસાય અમદાવાદ/વડોદરા કેમિકલ કંપનીઓમાં જોબ. છેલ્લી જોબ-સીનીયર એક્ઝીક્યુટીવ, ડાયામાઈન્સ એન્ડ કેમિકલ્સ લીમીટેડ,આશ્રમ રોડ ,અમદાવાદ. ૧૯૯૪ – ૩૫ વર્ષની સળંગ જોબ પછી નિવૃત્તિ લઈને ૫૮ વર્ષની ઉમરે કેલીફોર્નિયા, અમેરિકામાં આવ્યો. હાલ નિવૃતિનો સમય સાન ડીયાગોમાં મનગમતી પ્રવૃતિઓમાં પ્રવૃત રહીને સપરિવાર આનંદપૂર્વક વિતાવી રહ્યો છું. ભારતમાં હાઈ સ્કુલમાં હતો ત્યારથી જ ગુજરાતી સાહિત્યમાં રસ કેળ્વાએલો .ગુજરાતી વાચન અને લેખનનો એ શોખ હવે જીવન સંધ્યાના નિવૃતિના આ સોનેરી દિવસોમાં સમય સારી રીતે પસાર કરવામાં બહુ કામ લાગ્યો છે. મારો બ્લોગ શરુ કર્યો એ પહેલાં , કેટલાક વર્ષોથી મારા ગુજરાતી લેખો,વાર્તાઓ,કાવ્યો વિગેરે ન્યુ જર્સીના ગુજરાત ટાઈમ્સ તથા અમદાવાદના ધરતી જેવાં સામયિકોમાં પ્રકાશિત થતા હતા . નિવૃતિની એક પ્રવૃત્તિ તરીકે, સપ્ટેમ્બર ૧,૨૦૧૧થી મેં મારો ગુજરાતી બ્લોગ નામે વિનોદ વિહાર શરુ કર્યો છે.હાલ આ બ્લોગને વાચકોનો સારો પ્રતીસાત મળી રહ્યો છે એ મુલાકાતીઓની સંખ્યાનો આંકડો ૨ લાખની સંખ્યા સુધી પહોંચી ગયો છે એ બતાવે છે. મારા બ્લોગની લિંક http://www.vinodvihar75.wordpress.com આપને મારા આ બ્લોગની મુલાકાત લેવા અને પ્રતિભાવ આપવા માટે મારું ભાવભીનું આમન્ત્રણ છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kalpana Pathak
    21 एप्रिल 2020
    પ્રણામ. મહાત્મા ગાંધીજી વિષે સાચી માહિતી ભારતમાં આબાલવૃદ્ધ સુધી પહોંડવાની ખાસ જરૂર છે. આશા છે. આશા છે આ આપનો લેખની વાચક સંખ્યામા વધારો થતો રહે ્
  • author
    Kapil Satani
    04 सप्टेंबर 2018
    ખૂબ સરસ.... આપ મને ફોલો કરશો એવી વિનંતી. મારી તમામ રચનાઓ પર આપનો પ્રતિભાવ આપવા વિનંતી. આપ મારા અન્ય લેખો, લધુકથા તેમજ અન્ય સાહિત્ય વાંચવા તેમજ મારું વિચારક્રાંતિ પુસ્તક ઓનલાઇન પણ વાંચી શકો છો. પુસ્તક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. https://www.kapilsatani.com/?m=1
  • author
    રામ ગઢવી
    21 ऑक्टोबर 2017
    very right... with valuable artical.... congratulations
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Kalpana Pathak
    21 एप्रिल 2020
    પ્રણામ. મહાત્મા ગાંધીજી વિષે સાચી માહિતી ભારતમાં આબાલવૃદ્ધ સુધી પહોંડવાની ખાસ જરૂર છે. આશા છે. આશા છે આ આપનો લેખની વાચક સંખ્યામા વધારો થતો રહે ્
  • author
    Kapil Satani
    04 सप्टेंबर 2018
    ખૂબ સરસ.... આપ મને ફોલો કરશો એવી વિનંતી. મારી તમામ રચનાઓ પર આપનો પ્રતિભાવ આપવા વિનંતી. આપ મારા અન્ય લેખો, લધુકથા તેમજ અન્ય સાહિત્ય વાંચવા તેમજ મારું વિચારક્રાંતિ પુસ્તક ઓનલાઇન પણ વાંચી શકો છો. પુસ્તક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. https://www.kapilsatani.com/?m=1
  • author
    રામ ગઢવી
    21 ऑक्टोबर 2017
    very right... with valuable artical.... congratulations