<p>ગુજરાતી હોવાનુ મને ગર્વ છે.ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમને કારણ વાંચનનો ઘણોજ શોખ છે. આધ્યાત્મિક મન ગમતો વિષય છે, છતાં પણ જ્ઞાનની ભુખને કારણ બીજા ઘણા વિષયોનુ વાંચન અવશ્ય કરું છું.હ્યુસ્ટનમાં ચાલતી ‘ગુજરાતી સાહિત્ય સરિતામાં‘ ૨૦૦૯ માં જોડાઈ. વિજયભાઈ શાહના પ્રોત્સાહન અને આગ્રહને માન આપીને લખવાનુ વિચાર્યુ અને ‘ hemapatel.gujaratisahityasarita.org ‘( વિચાર વિસ્તાર) બ્લોગ બનાવીને લખવાનુ શરૂ કર્યુ. બીજો બ્લોગ ‘ hemapatel.wordpress.com ‘ ( વિચાર ધારા ) માં લખવાનુ ચાલ્યુ રાખ્યુ. મારા વિચારો સરળ ભાષામાં પ્રકટ કરવાનો પ્રયત્ન કરું છું. હજુ પણ શીખી રહી છું, અને ઘણુ શીખવાનુ બાકી છે. સાહિત્ય સરિતાના મિત્રો તરફથી ઘણુ બધુ જાણવાનુ અને શીખવાનુ મળે છે. સહિયારા સર્જનમાં સત્ય ઘટના પર આધારિત પહેલી નવલકથા ‘ વિરાંગના સરોજ શ્રોફ ‘ લખી ત્યાર બાદ મન વિષય લઈને મન ઉપર ‘મનોમંથન’ લખી ત્યાર બાદ સત્ય ઘટના પર આધારિત ‘ અલકનંદા’ લખી અત્યારે ‘ઝમકુબાના ઝબકારા’ હાસ્ય નવલકથા લખાઈ રહી છે.૭૦ વર્ષની ઉંમરે મારી નિવૃત જીંદગીમાં વાંચન અને લેખનમાં સમય વીતાવીને મનને ઘણોજ આનંદ અને શાંતિ મળે છે.</p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય