મને તો દરીયાના મોજામાં કૃષ્ણ ની વાંસળી સંભળાય.
મને તો આભમાં ઉગેલા ચાંદલીયા માં રાધા દેખાય.
મારા વિચારો અવાજ કરતાં શબ્દોમાં વધારે સ્પષ્ટ થાય છે.
મને ભીડમાં રહેવું પસંદ નથીઃ, ખૂણામાં બેસીને લખવું વધુ ગમે છે.
કારણ કે ત્યાં હું મારી “જાતને” મળી શકું છું.
હું કલમ અને કાગળની કલાકાર છું.
મારા માટે લખવું શોખ નથી, જરૂરત છે.
જે વાત હું દુનિયાને કહી નથી શકતી
એ હું શાંતિથી કાગળ પર ઉતારી દઉં છું.
મારી કલમ કોઈને પ્રભાવિત કરવા નથી ચાલતી,
એ તો મન હલકું કરવા ચાલે છે.
હું એક શબ્દનું વ્યક્તિત્વ છું
અર્થ વગરના વાક્યો મને નથી ભાવતાં.
એક સાચો શબ્દ, એક સાચી લાગણી
એ પૂરતું હોય છે મને સંતોષ આપવા.
લખાણમાં ભવ્યતા નથી શોધતી
હું તો સત્ય શોધું છું.
હું જાણું છું,
મારા લખાણમાં ચમક ઓછી હશે,
પણ એમાં ખોટ નથી.
કારણ કે જે દિલથી લખાય છે,
એ ધીમે ધીમે સાચા લોકો સુધી પહોંચે છે.
હું લેખક છું.
અને મારી સૌથી મોટી ઓળખ
મારી કલમની સાદગી છે.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય